Today Gujarati News (Desk)
ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્ય પર બેવડી ઋતુનો માર પડી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે સાથે ઈનફ્લુએન્ઝા અને વાયરલ ઈન્ફેકશનના કેસમાં પણ વધારો થયો છે. અહીં ચિંતાનો વિષય એ છે કે ઈન્ફેક્શનના લક્ષણો એક સરખા જ લાગે છે. તાવ, શરદી, ઉધરસ, માથુ દુખવુ જેવા લક્ષણો આ બીમારીઓમાં જોવા મળે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમા વધારો થઈ રહ્યો છે.
સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટર રજનિશ પટેલે સાથે વાત કરતા જણાવ્યુ છે કે, વાયરલ ઈન્ફેકશનના કેસ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ કરતા અર્બન સેન્ટર પર આવતા દર્દીઓની સંખ્યા વધુ છે. વાયરલ ઈન્ફેકશનમાં કોઈ એન્ટિબાયોટિક્સ દવા કામ આવતી નથી. જેમાં ટેસ્ટ કરાવવાની જરૂર પણ રહેતી નથી. જો દર્દી વાયરલ ઈન્ફેકશનથી પીડાતી હશે તો 7 દિવસમાં સારું થઈ જશે.આ અંગે તેમણે વધુમાં ડૉક્ટરે જણાવ્યું કે, એવું કહેવાય છે કે, શરદી થઈ હોય તો દવા લો તો 7 દિવસે મટે છે અને દવા ના લો તો 8 દિવસે મટે છે, એટલે આડેધડ દવા લેવી ન જોઈએ. જો લક્ષણો વધુ ગંભીર જણાય તો ડૉકટરની સલાહ લેવી જોઈએ. ડૉકટર નક્કી કરવા દો તમારે રિપોર્ટની જરૂર છે કે નહી. અને ડૉકટરની સલાહ મજુબ દવાના ડોઝ લો. પોતાની રીતે દવા લેવાનું ટાળવું જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે ટેસ્ટ કરાવવા માટે દોડાદોડ ના કરવાની પણ સલાહ અપાય છે. આમ કરવાથી તેનો કોઈ ફાયદો થવાનો નથી અને સિસ્ટમ પર ખોટો ભાર વધશે.